
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામની. જ્યાં છેલ્લા 40 થી 45 વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈ ને આવે છે. પુલના અભાવે ગ્રામજનોને કીમ નદીના ધસમસતા પાણીમાં અંતિમવિધિ માટે ઠાઠડી લઈ જવા મજબૂર બને છે.
છેલ્લા 40 થી 45 વર્ષથી ચોમાસાની સીઝનમાં વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં મરણનો પ્રસંગ બને ત્યારે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. ગામમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો કિમ નદી ઉપર પુલના અભાવે નદી ઓળગીને તેની અંતિમ ક્રિયા કરવા જવું પડતું હોય છે જેને કારણે ઠાઠડી સાથે જીવના જોખમે ગ્રામજનો નદી પાર કરતા હોય છે. આ અંગે અનેકવાર તંત્રમાં રજુઆત કરવામાં આવી છે છતા તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે.ત્યારે આજરોજ ડહેલી ગામમાં મરણનો પ્રસંગ બન્યો હોવાથી ગ્રામજનો કિમ નદીમાં આવેલ ભારે પ્રવાહમાં નનામી લઈ અંતિમ ક્રિયા માટે પ્રસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં 20 થી વધુ માણસો ઠાઠડી સાથે નદી પાર કરતા નજરે પડી રહ્યા છે. જેઓ પોતાના જીવ જોખમમાં મૂકી કેડ સમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.
ડહેલી-પીઠોર ગામના આદિવાસી સમાજના લોકોનું એક માત્ર સ્મશાન કિમ નદીના સામેના કિનારે આવેલ હોવાથી અવારનવાર ગ્રામજનો હાલાકી વેઠી રહ્યાં છે ત્યારે તંત્ર વહેલી તકે પુલ બનાવી આપે તો સામે કિનારે આવેલ સ્મશાનમાં ચોમાસાની સીઝનમાં અંતિમ ક્રિયા માટે જઈ શકે તેમ છે તો ખેડૂતો પુલ હોય તો પોતાના ખેતરે ખેતીના કામ માટે પણ જઈ શકે પરંતુ તંત્રની ઉદાસીનતાને પગલે લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.