આમોદ તાલુકા તલાટી કમ મંત્રીઓએ ગત રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આજથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામતા ગામલોકોના કામો અટવાઈ ગયા હતાં.

ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર હડતાળ કરતાં તલાટીઓએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતાં.અને જ્યાં સુધી રાજ્ય તલાટી મંડળનો આદેશ ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખી સરકાર સામે લડતના શ્રી ગણેશ કર્યા હતાં.અને પોતાની પડતર માંગણીઓ જેવી કે ૨૦૦૪-૦૫ ની નોકરી સળંગ કરવા બાબતે, ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત, રેવન્યુ તલાટી માં મર્જ કરવા બાબતે અચોક્કસ મુદતની હડતાળ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here