The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વિજળી વિભાગે વિજપોલોની કરી ચકાસણી

રાજયભરમાં વરસાદે ભારે તારાજી સર્જીછે તેવામાં ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પણ ધોરીમાર્ગ નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જોકે વરસાદે વિરામ લેતા હાલ તમામ નિચાણવારા વિસ્તારોમાંથી પાણી ઓસરી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ત્યારે રાજપારડી ડી.જી.વી.સી.એલ.કચેરીના ડેપ્યુટી ઇજનેર ડેવીડ વસાવાએ વરસાદ પેહલા અને વરસાદ બંધ રહ્યા બાદ નગરજનોની સલામતી અને સુરક્ષા માટે ટેકનિકલ સ્ટાફને ખડેપગે રાખીને પોતે પણ એલર્ટ રહ્યા હતા અને આજે વરસાદે વિરામ લેતા નગરના કેટલાક શંકાસ્પદ વિજપોલો પર વિજ કરંટ ઉતરે છે કે નહિ તેની સધન તપાસ કરાવી હતી નગરના તમામ વિજપોલો ચેક કરતા કોઇજ વિજપોલમાં વિજ કરંટ નહિ ઉતરતો હોવાની ખાતરી કરવામાં આવી હતી.

સાથે જો કોઇ ઠેકાણે વિજફોલ્ટ અથવા વિજ અકસ્માત જણાય તો રાજપારડી વિજળી વિભાગની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને હાલ ચોમાસાની સીઝન હોઇ વરસાદી પાણીથી વિજપોલો તેમજ વિજતારો ભીના હોઇ અથવા જમીન પર વિજતારો પડેલા હોઇ તેવા સંજોગોમાં નગરજનોએ આવા ભીના વિજ ઉપકરણોથી દુર રહી વિજ કચેરીને જાણ કરવા કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!