પવિત્ર ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજંરગ દળ, દુર્ગા વાહિની, માતૃશકિત દ્વારા પવિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રત માં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળા ની વેફર તથા જરૂરી સામગ્રી આપવામાં આવ્યો.
આ પ્રસંગે વિરેન રામજીવાલા, સંદિપ પુરાણી, હેમાબેન પટેલ, સાલુબેન ચૌહાણ, મંદિર ના પુજારી તથા સેવાભાવી લોકોએ હાજર રહી કુંવારી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો.