The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News નર્મદા કોલેજમાં BBAમાં ખાલી પડેલ સીટો પર એડમિશન આપવા NSUI દ્વારા કરાઇ માંગ

નર્મદા કોલેજમાં BBAમાં ખાલી પડેલ સીટો પર એડમિશન આપવા NSUI દ્વારા કરાઇ માંગ

0
નર્મદા કોલેજમાં BBAમાં ખાલી પડેલ સીટો પર એડમિશન આપવા NSUI દ્વારા કરાઇ માંગ

ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટ નો અભ્યાસ તેમની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે પરંતુ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે માત્ર બે જ કોલેજોમાં બીબીએ નો અભ્યાસક્રમ ચાલી રહ્યા છે.જેથી વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં જઈ અભ્યાસ કરવો પડે છે જેથી ઘણી મુશ્કેલ પડી રહી છે.

V.N.S.G.U યુનિવર્સિટી દ્વારા ભરૂચ અને નર્મદા ઝોનમાં નર્મદા કોલેજ માટે 150 અને કડકીયા કોલેજ માટે 75 એમ કુલ 225 જ સીટ ફાળવવામાં આવેલ છે. આમાં પણ નર્મદા કોલેજ દ્વારા ચાલતા પોતાના મનસ્વી વહીવટ ના કારણે 150 માંથી હજુ અડધી સીટો પણ ભરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણમાં છે. જ્યારે વાલીઓને વિદ્યાર્થીઓ કોલેજના એડમિશન કમિટી પાસે આ બાબતે પૂછપરછ કરવા જાય છે, ત્યારે સરખો જવાબ નથી મળતો તેમજ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે.

જેથી ભરૂચ જિલ્લા  NSUI દ્વારા વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખી નર્મદા કોલેજમાં બીબીએ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલ સીટો જલ્દી એડમિશન આપવામાં આવે તેમજ વધુ એક વર્ગખંડની 75 સીટ ની માંગણી કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ બીબીએ નો અભ્યાસ કરી શકે.

આ આ બાબતે આજરોજ આચાર્ય એ કે સિંગ ને રજૂઆત કરતા આચાર્ય દ્વારા કોલેજની અંદર પૂરતા સ્ટાફ અને પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અભાવને કારણે નર્મદા કોલેજમાં બીબીએ ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી દ્વારા ફાળવેલ 150 સીટમાંથી 75 જ સીટ માં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એમ જણાવેલ છે પરંતુ NSUI દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવે છે અને જલ્દીમાં જલ્દી 150 સીટ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે એ જ માગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!