The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

બીએપીએસ મંદિર ખાતે વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયેલ બાળકોનું કરાયું અભિવાદન

જંબુસર બીએપીએસ મંદિર ખાતે રવિસભામાં પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલ વ્યસનમુક્તિ તથા પ્રકૃતિ સંવર્ધન અભિયાન માં જોડાયેલ  બાળ     બાલિકાઓનો અભિવાદન સમારોહ નિલકંઠ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત બીએપીએસ દ્વારા સમાજના ઉત્થાન માટે  અનેક કાર્યક્રમો જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.જંબુસર નો તણા નહાર આમોદ ક્ષેત્રના નાના બાળ બાલીકાઓએ પ્રમુખસ્વામીનો સંદેશ વ્યાપક બનાવવા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન હેઠળ ઘરે ઘરે જઈ બધાને વ્યસનમુક્ત બનવા અપીલ કરી હતી.જેઓનો અભિવાદન સમારોહ જંબુસર મંદિર ખાતે નિલકંઠ જીવન સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં યજ્ઞ જીવન સ્વામી નારાયણ પ્રકાશ સ્વામી મુનિ જીવન સ્વામી ખાસ હાજર રહ્યાં હતાં  અને સંતો દ્વારા બાળકો પર પુષ્પવર્ષા કરી  તિલક કરી પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.

જંબુસર ક્ષેત્રના બાળકો દ્વારા વ્યસનમુક્તિ તથા પ્રકૃતિ સંવર્ધન અભિયાન ના થયેલ કાર્યને બિરદાવ્યું હતું. આ અભિયાન થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવી છે બાળક બોલતો થયો છે. બાળકમાં રહેલ ડર દુર થયો છે.આ સહિત ભવિષ્યની પેઢીને પણ ઘણો ફાયદો થશે તેમ નીલકંઠ સ્વામીએ જણાવ્યું હતું  પૂજ્ય મહંત સ્વામીએ આ પ્રસંગે સૌને આશીર્વચન પાઠવ્યાં હતાં તથા ડિસેમ્બર માસમાં યોજાનાર મહોત્સવની માહિતી નો વિડીયો સૌએ નિહાળ્યો હતો.આ સમારોહમાં અગ્રણીઓ સત્સંગી ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!