
ભરૂચ ઇનરવ્હીલ કલબ દ્વારા એસ.વી.એમ.આઇ.ટી કોલેજ ખાતે બે દિવસીય (25મી – 26મી જૂન 2022) ઇનર વ્હીલ યુથ પાર્લામેન્ટ 2022 ઇવેન્ટ યોજવામાં આવી હતી.જેમાં મુખ્ય અતિથી તરીકે લેખક અને ભૂતપૂર્વ ભારતીય રાજદૂત યોગેન્દ્ર કુમાર ખાસ હાજર રહ્યા હતા.
આ યુથ પાર્લામેન્ટ ૨૦૨૨ ઇવેન્ટમાં ભરૂચ અને અંકલેશ્વરની શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓએ આ જ્ઞાન વહેંચણી અને વ્યક્તિત્વ વિકાસ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આનો ઉદ્દેશ્ય ભારતના ભાવિ જવાબદાર નાગરિકો બનવા માટે યુવાનોમાં સામાજિક જાગૃતિ કેળવવાનો છે.
ઇનર વ્હીલ ક્લબ અને ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ભરૂચની ટીમો સાથે મળીને આ 2 દિવસીય ઇવેન્ટ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ ઇનર વ્હીલ ક્લબે આ ઇવેન્ટ માટે યોગદાન આપી સ્પોન્સર્સ કરવા બદલ IWC ભરૂચના પ્રમુખ રીઝવાના તલ્કીન જમીનદાર અને મહાસચિવ ઝુનેરાજમીનદાર,ડિરેક્ટર જનરલ ઈશિકા કાંકરિયા,મેનેજરીયલ ડાયરેક્ટર અને ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ આરવ જમાદારે Kanan.co અને ડિરેક્ટર તલ્કીન જમીનદાર અને ડિરેક્ટર ઇબ્રાહિમ શેઠનો આભાર માન્યો હતો. સાથે ઇવેન્ટને સમર્થન આપવા બદલ SVMIT કોલેજના ટ્રસ્ટી જીવરાજ પટેલનો પણ આભાર માન્યો હતો.