The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ AAPમાં એક સાથે 50 અધિકારીઓના રાજીનામાં

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ઉથલ પાથલ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે આમ આદમી પાર્ટી રાજ્યની કુલ 182 વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા જ નવા સંગઠનની ઘોષણા કરતા પક્ષની અંદર નારાજગી સર્જાઈ હતી.તપી જિલ્લા બાદ ભરૂચ જિલ્લામાં પણ એક સાથે 50 પદાધીકારીઓએ રાજીનામાં આપી દીધા છે.

મળી રહી જાણકારી અનુસાર આમ આદમી પાર્ટીએ નવા સંગઠનની ઘોષણા કર્યા પછી આમ આદમી પાર્ટીની હાલત કોંગ્રેસ જેવી થઇ રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ નવા સંગઠનની રચના પછી ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી જો કે આ ઘોષણા પછી કેટલાક પદાધિકારીઓ નવા સંગઠનથી નારાજ થઇને રાજીનામાં આપી દીધા છે.સૂત્રો પરથી એવી માહિતી મળી રહી છે કે પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક દ્વારા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે વાત કર્યા વગર પોતાની મનમાની કરીને ફેંસલો લીધો છે. તાપી જિલ્લા બાદ ભરૂચ જિલ્લામાં પણ ભૂકંપ આવી ગયો હતો. એક સાથે 50 પદાધિકારીઓને રાજીનામાં આપી દીધા છે.

રાજીનામાં આપેલા પદાધિકારીઓને પાર્ટીમાં પટેલવાદ ચાલી રહ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી પણ માહિતી છે કે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને જે વ્યક્તિ પસંદ નથી તે વ્યક્તિને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યો છે.પાર્ટી સે નારાજ લોકોએ આરોપ લગાવ્યા છે કે કેવળ 24 લોકોને હટાવીને નવા સંગઠન બનવવાનું નાટક કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!