The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

0
નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

નૂપુર શર્માની પયગંબર સાહેબ વિશેની ટિપ્પણી મામલે હજુ પણ મુસ્લિમોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેને લઇને આમોદમાં મુસ્લિમ સમાજના લોકોએ એકત્ર થઇ મામલતદાર કચેરી ખાતે આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી.આમોદના મુસ્લિમ સમાજદ્વારા ભાજપની રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્મા જે માનવતા અને ભાઈચારાની દુશ્મન છે કે,જેણે ઇસ્લામના મહાન પયગંબર અને સમગ્ર દુનિયા માટે શાંતિ અને ભાઇચારના મસીહા માટે અપમાન જનક અભદ્ર ટિપ્પણી કરેલ છે તેનાં આકરા પ્રત્યાઘાત પડ્યા છે.

આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે ભાજપના પ્રવકતા વિરૂદ્ધ આવેદન આપેલ કે આ વ્યક્તિ લોકતંત્ર માટે ખતરા સમાન છે જેનાં વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ વડાપ્રધાન મોદી અને ભારત સરકારને સંબોધી મામલતદારને આવેદન પત્ર પાઠવી કરવામાં આવી છે.

વધુમાં જણાવાયું હતું કે,નૂપુર શર્માએ ભારત દેશ અને તેની એકતા અને ભાઇચારા માટે ખતરા સમાન બનેલ છે.વારંવાર ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી આવા અસામાજીક તત્વો કરતા હોય છે.જેથી દેશનું વાતાવરણ બગાડવાનું કાર્ય આવા અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ કરી રહ્યા છે જેના વિરુદ્ધ ખૂબ કડક સજા કરવી જોઈએ જેથી આવા લોકો માટે આ સજા એક નમૂનારૂપ બને જેની નોંધ સમગ્ર ભારત દેશમાં લેવાય તેવું દષ્ટાંત ઉભું કરવું જોઈએ. મામલતદાર કચેરી ખાતે નૂપુર શર્માના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે આમોદ પોલીસનાં કર્મચારીઓ પણ ખડે પગે હાજર રહ્યા હતા.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!