ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી 2022 આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ જોરદાર તૈયાર સાથે ઝંપલાવવા જઈ રહી છે. આ કડીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના માળખાને વિખેરી દેવાની જાહેરાત કરી છે. એટલે કે પ્રદેશ પ્રમુખને બાદ કરતા તમામ હોદ્દા રદ કરી દેવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર આપની રણનીતિના ભાગરૂપે વર્તમાન માળખાને વિખેરી દેવામાં આવ્યું છે. બહુ ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરવામાં આવશે.

ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ટીમે આ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં હવે નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગે લખવામાં આવ્યું છે કે, “સવિનય સાથ જણાવવાનું કે અરવિંદજીના માર્ગદર્શનથી આજરોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય પ્રદેશ સમિતિ સહિત તમામ સમિતિઓ તથા હોદાઓ બરખાસ્ત/ડિસોલ્વ કરવામાં આવ્યા છે, જેની સૌ સાથીઓએ નોંધ લેવી. નવું માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here