
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માં 18 વર્ષથી મોટી ઉંમર ના વિદ્યાર્થીઓ માટે ચૂંટણી કાર્ડ ફરજીયાત બનાવવા સાથે યુનિવર્સિટીની પરીક્ષા તેમજ અન્ય ફોર્મ સાથે અપલોડ કર્યા પછી પરીક્ષા આપી શકશે તેમ જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાતથી વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓને તકલીફમાં મુકાયા છે. આ બાબતે વિદ્યાર્થીઓ માં ઘણો રોષ જોવા મળ્યો છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પાસે થી પરીક્ષા ફોર્મ ભરવામાં ચૂંટણી કાર્ડ ની માહિતી માંગી રહી છે. જે તદ્દન ખોટી માહિતી માંગવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા આ માહિતી એકત્ર કરવામાં ફક્ત એક રાજકીય પક્ષ ને મદદ કરવાનો એકમાત્ર ઉદ્દેશ છે.
યુનિવર્સિટીનું મુખ્ય ઉદ્દેશ સાચુ, સચોટ અને સરળ શિક્ષણ આપી વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું છે નહીં કે રાજકીય પક્ષો ની મદદ કરવું. વીર નર્મદ યુનિવર્સિટી હર હમશે વિવાદ માં રહે છે અને વિદ્યાર્થીઓ ને તકલીફ માં મૂકે છે. NSUI દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે અને આ નિર્ણય પાછો ખેંચી વિદ્યાર્થીઓના હિત નું કાર્ય કરેની ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ યોગી પટેલે માંગ કરી છે.