ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના લોકાર્પણ કાર્યક્રમ યોજાનારા છે, એક તરફ તંત્ર મુખ્યમંત્રીના આગમન માટે તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો દ્વારા બેનર અને હોર્ડીંગ ફાડી નંખાયાની ઘટના સામે આવી છે.
રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)