The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

રેશનકાર્ડ ધારકોને NFSA યોજના માંથી નામ રદ્દ કરવા જંબુસર મામલતદારે કરી અપીલ

જંબુસર શહેર અને તાલુકાના કુલ ૨,૦૫,૧૩૪ ની જનસંખ્યા  ૪૧૯૨૩ રેશનકાર્ડ ધરાવે છે  જેમાં ૨૫,૩૬૭ રેશનકાર્ડ ધારકો મળી ૧,૩૫,૪૯૫ ની જનસંખ્યા અનાજ મેળવે છે. જંબુસર પંથકમાં જે જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિઓને સરકારી અનાજ નથી મળતુ તેવા રેશનકાર્ડ ધારકો માટે જંબુસર મામલતદાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ન નાગરિક પુરવઠા વિભાગ ૨૦૨૦ના ઠરાવ મુજબ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ મુજબ રેશનકાર્ડ ધારકોને અગ્રતાક્રમ ધરાવતા કુટુંબ એનએફએસએ માં સમાવેશ થતો નથી  તેવા રેશનકાર્ડ ધારકો જેમકે ચાર પૈડાવાળું વાહન, યાંત્રિક માછીમારીની બોટ ધારણ કરતાં હોય ,કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબના કોઈ પણ સભ્યની માસિક આવક દસ હજાર થી વધુ આવક ધરાવતા હોય, આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતા હોય ,જંબુસર શહેર કે તાલુકામાં પાંચ એકર કે તેથી વધુ જમીન ધરાવતા હોય ,શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં પાકું મકાન ધરાવતા અરજદારો માટે નથી બીપીએલ અંત્યોદય યોજનાનો લાભ પણ મળવાપાત્ર નથી તેવા રેશનકાર્ડ ધારકોએ એક અઠવાડિયામાં મામલતદાર કચેરી જંબુસર ખાતે અસલ રેશન કાર્ડ સાથે હાજર રહી  રેશનકાર્ડ ઉપર વિગેરેના મેળવતા લાભ દૂર કરવા તજવીજ કરવાની અપીલ રીક્ષા માઈક દ્વારા જાહેર જનતાને મામલતદાર જંબુસર દ્વારા કરવામાં આવી છે.

અન્યથા તપાસ દરમ્યાન માલૂમ પડશે તો  તેવા રેશનકાર્ડ ધારક સામે જે તે સમયથી અનાજ મેળવતા હશે તે સમયથી હાલના બજાર ભાવ મુજબ ઘઉં ચોખા દાળ મીઠું ખાંડ તેલની કિંમત વસૂલ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર જંબુસર દ્વારા વિનંતી કરવામાં આવી છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!