The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આમોદ ભાજપના ૪ નગરસેવકોના રાજીનામાં, રાજકારણ ગરમાયું!

આમોદ નગરપાલિકાના ભાજપના ૪ નગરસેવકોએ સભ્યપદેથી પોતાના વોર્ડમા કામો થતા નહી હોવાના તેમજ પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે વિકાસના કામોની ગ્રાન્ટ પરત ગઈ હોવાના આક્ષેપ સાથે સામુહિક રાજીનામા આપતા આમોદ પંથકમા રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો.

આમોદ નગરપાલિકાના સત્તાધારી ભાજપના વોર્ડ નંબર ૬ ના નગરસેવક કમલેશભાઈ સોલંકી,વોર્ડ નંબર ૩ ના રમેશભાઈ વાધેલા,વોર્ડ નંબર ૪ ના રણછોડભાઈ રાઠોડ તથા નગરસેવિકા કૈલાસબેન વસાવાએ આજ રોજ પોતાના સભ્યપદેથી એકસાથે રાજીનામા ધરી દેતા આમોદ નગર સહિત પંથકમા ચકચાર વ્યાપી ગઈ હતી.

ચારેય આમોદ પાલિકાના સદસ્યોએ આપેલ રાજીનામામાં તેઓએ પાલિકાના સત્તાધિશો વિરૂધ્ધ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અમારા વોર્ડના વિસ્તારમા જાહેરહિતના પ્રાથમિક જરૂરિયાતના લાઈટ,ગટર,પાણી,સફાઈ જેવા કામો પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખથી થઈ શકતા નથી.તેમજ સરકાર તરફથી આવતી વિકાસના કામોની લાખો રૂપિયાની ગ્રાન્ટો બેદરકારીભર્યા વહીવટના કારણે પરત જતી રહી હોય જેના કારણે અમારા ઉપર વિશ્વાસ રાખતી નગરની તથા અમારા વોર્ડની જનતાના કામો ન થવાથી અમારા પ્રત્યે નારાજગી વધી રહી છે.તથા અમારી રજુઆતોને ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરીને અમો પછાતજાતિના પ્રતિનિધિઓનુ પ્રભુત્વ નગરમા વધી ના જાય તેવા ઈરાદાથી અમારા વોર્ડના કામો અમારી રજુઆતોના કામો કરાતા નથી.પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે નગરજનોએ અમારા ઉપર મુકેલ વિશ્વાસમા ખરા નહી ઉતરતા અમે સદસ્યો વોર્ડના તથા નગરના જાહેરહિતમા પાલિકાના સભ્યપદેથી રાજીનામુ આપીએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામા ૨૪ સભ્યોનુ સંખ્યાબળ છે.જેમા ભાજપના ૧૪ તથા ૧૦ અપક્ષ સદસ્યો હતા.તે પૈકી ભાજપના ૪ સદસ્યોએ આજે સામુહિક રાજીનામા ધરી દેતા હવે આમોદ નગરપાલિકામા ભાજપના ૧૦ તથા અપક્ષ ૧૦ સભ્યો રહયા છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!