The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચમાં સોમદાસ બાપુની અધ્યક્ષતામાં હિન્દૂ સેના અને ધર્મ સમાજનો માઈલસ્ટોન મુકાયો

ભરૂચમાં સોમદાસ બાપુની અધ્યક્ષતામાં હિન્દૂ સેના અને ધર્મ સમાજનો માઈલસ્ટોન મુકાયો

0
ભરૂચમાં સોમદાસ બાપુની અધ્યક્ષતામાં હિન્દૂ સેના અને ધર્મ સમાજનો માઈલસ્ટોન મુકાયો

ભરૂચ જિલ્લાના હિન્દૂ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી .જેમાં ભરૂચ જિલ્લા સહિત 9 તાલુકાના મુખ્ય જવાબદારો હાજર રહ્યા હતા.હિન્દૂ ધર્મ ,ગાય માતા અને ગંગાની રક્ષાના પ્રણ લેવામાં આવ્યા હતા.સાથે સાથે સંગઠન જિલ્લા ,તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિસ્તારી વિવિધ કાર્યોમાં જોતરાયા જવા હાંકલ કરવામાં આવી હતી.દરેક ગામમાં હિન્દૂ ધર્મ સેનાના બેનર લાગવા જોઈએ તેમજ હિન્દૂની રક્ષા થવી ખૂબ જરૂરી બની છે.

આ પ્રસંગે માધવપ્રિયસ્વામીએ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના દ્વારા હિન્દુ સંગઠનનું કાર્ય પુરજોશથી ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ધર્મસેનાની બેઠક સોમદાસબાપુના આશ્રમમાં કરવામાં આવી છે ખાસ આ કારોબારી બેઠકમાં જુના અને નવા હોદ્દેદારો હાજર રહ્યા હતા સૌ કોઈએ પ્રણ લીધી કે આપણે હિન્દુત્વનું કાર્ય કરવું સાથે ગૌ-ગંગાની રક્ષા કરીએ નાતી જાતિ તેમજ ધર્મના વાડા ભૂલી હિન્દુ છીએ તે દિશામાં આગળ વધીએ .

અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે ઉદબોધનમાં અખિલ ભારતીય સંત સમિતિ સંતોનું સંગઠન છે આખા ભારતમાં 137 સંપ્રદાયનું નેતૃત્વ ધરાવે છે. ગુજરાત ના અધ્યક્ષ તરીકે નૌતમસ્વામી જવાબદારી સંભાળે છે. જે સદગૃહસ્થ અને યુવાનોનું સંગઠન છે જેમાં માધવપ્રિય સ્વામી સંરક્ષકનો કાર્યભાર સાંભળે છે .

આજે ૨૬ જિલ્લાઓમાં હિંદુ ધર્મ સેનાના સંગઠનની રચના થઈ છે. સ્થાન સ્થાન પર આ જ પ્રકારે હિન્દુ યુવાનો સંકલ્પ લઇ રહયા છે ગૌ ગંગા અને ધર્મ રક્ષા આવા સંકલ્પ સાથે હિન્દુ સમાજ ના સંગઠનનું કાર્ય ગુજરાતમાં ચાલી રહ્યું છે. આજે ભરૂચ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓની બેઠક સોમદાસ બાપુ ,માધવપ્રિય સ્વામી ,ગોપાલચરણ સ્વામી અને ધર્મ સમાજના પ્રમુખ દેવુભા કાઠી ઝીણાભાઈ ભરવાડ ,સુધીરસિંહ અટોદરિયા ,ઈન્દ્રસિંહ પરમાર વગેરે ના સાનિધ્યમાં સફળ આયોજન થયું બધા જ કાર્યકર્તા આવનાર દિવસોમાં ગામડાઓમાં હિંદુ ધર્મ સેનાના સંગઠનની રચના કરશે કોઈ સ્થાન ઉપર સંત- મંદિરની સુરક્ષામાં આ સેના ઊભી રહેશે જ્યાં પણ અપૂજ મંદિરો છે તેના જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ અખિલ ભારતીય સંત સમિતિના સંતોએ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!