The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News બકરાં ચરાવવા ગયેલ માથાસરના યુવકનું નર્મદા ડેમના પાણીમાં ડૂબી જતાં મોત

બકરાં ચરાવવા ગયેલ માથાસરના યુવકનું નર્મદા ડેમના પાણીમાં ડૂબી જતાં મોત

0
બકરાં ચરાવવા ગયેલ માથાસરના યુવકનું નર્મદા ડેમના પાણીમાં ડૂબી જતાં મોત

દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો એક યુવક બકરાં ચરાવવા જંગલમાં ગયેલો જ્યાં નર્મદા ડેમના પાણીમાં ડુબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની લાશ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં મળી આવતા ગરૂડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો પટેલ ફળિયામાં રહેતો  જિજ્ઞેશ લાલજી વસાવા ઉંમર વર્ષ આશરે 28, 15 મેં રોજ સવારે બકરાં લઈ જંગલમાં ચરાવવા ગયેલો અને સાંજના પરત ઘરે આવેલો નહીં. જયારે બધા બકરા આવી ગયા હતા. ગામના આજુબાજુના ઘરો તેમજ ફળિયામાં તેની શોધખોળ કરતાં તે મળી આવેલ નહિ.  ૧૬ મે ના રોજ વહેલી સવારે છ વાગ્યાના સુમારે શુરપાણેશ્વર ગામના કુવાબાર ફળિયામાં નર્મદા ડેમના પાણીનો ઘેરાવો થયેલો છે. તે વિસ્તારમાં શોધવા નીકળેલા તે દરમ્યાન તે નદીના ઘેરાવા વાળા પાણીમાં સાત વાગ્યાના અરસામાં આ યુવકની લાશ કિનારે તરતી જોવા મળેલી હતી. યુવકનું પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.

ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં લાલજી પોયરા વસાવા રહે માથાસર .પટેલ ફળિયું તા. દેડિયાપાડા જિ. નર્મદા એ ખબર આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!