ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ 22માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનું 68.12 ટકા પરિણામ જાહેર થયું છે.
બે વર્ષથી કોરોનાના કારણે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવતી હતી.ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું હોય તેમ આજે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામો પરથી લાગ્યું હતું. ભરૂચ જીલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 68.12 ટકા પરિણામ જાહેર થયું હતું જેમાં ચોંકાવનારી વાત એ હતી કે A-1 ગ્રેડમાં જીલ્લામાં માત્ર 7 વિદ્યાર્થીઓ આવ્યા હતા.
ભરૂચ જીલ્લાના ગ્રેડ વાર પરિણામ ઉપર નજર કરીએ તો A-1માં 7, A-2માં 54, B-1માં 204, B-2માં 322, C-1માં 499, C-2માં 590 જયારે ડી ગ્રેડમાં 147 વિદ્યાર્થીઓ આવ્યા હતા. જીલ્લામાં કુલ 2688 વિદ્યાર્થીઓ નોંધાયા હતા આજે પૈકી 2676 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1823 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આજરોજ સવારે 10 કલાકે ઓનલાઈન પરિણામ જાહેર થયા હતા. અને હવે બાદમાં પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવશે.