The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચના જોલવાની અક્ષરકેમ કંપનીમાં ૧૮ વર્ષીય કામદારનું ભેદી મોત!

ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ખાતે આવેલ અક્ષર કેમ ઇન્ડીયા લીમીટેડ સીલીકા ડીવિઝન કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાનનું ગત રોજ મોડી રાતે કંપનીમાં મોત નીપજતા કંપની સત્તાધીશોએ આ ઘટનામાં ઢાંકપીછોડો કરવા પ્રયત્નો કર્યા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

દહેજના જોલવા ગામે આવેલ કાચને ઓગાળી તેનો પાવડર બનાવવાનું કામ કામ કરતી અક્ષર કેમમાં ગાયત્રી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાકટમાં મૂળ ઝારખંડના વતની ૧૮ વર્ષીય પ્રેમકુમાર ગંઝુ કોન્ટ્રાક્ટ લેબર તરીકે છેલ્લા બે મહીનાથી જોલવા ખાતેની અક્ષર કેમ કંપનીમાં નોકરી કરતો હતો જે નાઇટ ડ્યુટીમાં ગતરોજ ગયો હતો. જ્યાં ગત રાતે ૨.૩૦ની આસપાસ અચાનક પ્રેમકુમાર ચાલુ નોકરીએ જ અચાનક ઢળી પડ્યો હતો અને બેભાન બનતા તેને કંપનીની ગાડીમાં બે થી ત્રણ દવાખાને લઈ જઈ ભરૂચ સિવિલ મૃત હાલતમાં લાવતા હજર તબીબે ૪ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરી લાસને પી.એમ. રૂમમાં ખસેડી હતી.

ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા સમગ્ર ધટનામાં બેદરકારી દાખવી ભીનું સંકેલવાના ભાગ રૂપે ધટનાની જાણ દહેજ પોલીસને સવારે ૧૦ કલાકની આસપાસ કરી હતી પણ તે પહેલા એક પણ દવાખાનાના તબીબે પણ પોલીસે જાણ કરી ન હતી. કહેવાય છે કે આ ઘટનામાં  મૃતકનો પરિવાર ગરીબ હોય મરણ જનારના સાથીદારોએ તેના મોતનું વળતર કંપની પાસે માંગતા ભારે રકઝક બાદ કંપનીએ વળતર પ્રેમકુમારના વાલીવારસોને ટ્રાન્ફર કરી તેમને લાસનો કબ્જો લેવા ઝારખંડથી ભરૂચ બોલાવ્યા છે.

હાલમાં પણ મૃતક પ્રેમકુમારની લાસ ભરૂચ સિવિલ હોસ્પીટલના પી.એમ. રૂમમાં રાખવામાં આવી છે.જેને આવતી કાલે તેના વાલીવારસોને સોંપી અંતીમ વિધી કરાશેનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે બહારથી કમાવા આવતા કામદારોને કંપનીમાં લોડીંગનું કામ કોઇ પણ સેફ્ટી વિના કરાવાતું હોવાની બુમો છતાં તંત્ર દ્વારા આવી કંપનીઓ પર કોઇ એક્ષન નથી લેવાતા જેથી આવા આશાસ્પદ યુવાનો કમોતે મોતને ભેટે છે. જો કે હાલમાં પણ પ્રેમકુમારના મોતનું કારણ અકબંધ રહ્યું છે અને મોડે મોડે કંપનીએ પોલીસને જાણ કરતા દહેજ મરીન પોલીસે વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!