The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સરભાણ અને વાતરસા ગામે માટી કૌભાંડમાં ફોજદારી ગુનો નોંધાવવા ટી.ડી.ઓને ફરી કરાયો હુકમ

ભરૂચના ડી.ડી.ઓ.એ ૧૮ દિવસ પહેલા આપેલા હુકમનું આમોદ ટી.ડી.ઓ.એ પાલન ના કરતાં ફરીથી જિલ્લા વિકાસ અધિકારીને હુકમ કરાયો છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ તેમજ વાતરસા ગામે થયેલા કરોડો રૂપિયાના  માટી કૌભાંડમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને ૨૧ એપ્રિલના રોજ માટી કૌભાંડના કસુરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો છતાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીના હુકમની ઐસી કી તૈસી કરી ૧૮ દિવસ બાદ પણ આમોદ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ ના નોંધાવતા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ આજ રોજ ફરીથી સરભાણ અને વાતરસા ગામ પંચાયતના કસૂરદારો સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો.

આમોદ તાલુકાના વાતરસા ગામે આવેલી સર્વે નંબર ૧૨૨,૫૧૩ તથા ૩૨૫ વાળી જમીનમાં બિન અધિકૃત માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બદલ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમનો અહેવાલ પાન નંબર ૧ થી ૫૫ મોકલી ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.જયારે સરભાણ ગામે સર્વે નંબર ૬૬૫ વાળી ગૌચરની જમીનમાં બિન અધિકૃત ખોદકામ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમનો ૧ થી ૪૧ પાનનો અહેવાલ મોકલી સરભાણ ગ્રામ પંચાયતના કસૂરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!