The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળી શોભા યાત્રા

ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળી શોભા યાત્રા

0
ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળી શોભા યાત્રા

ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ ના પટાંગણ મા આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરી પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા હતા.

જેમાં પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ ના પ્રથમ દિવસે  પ્રમુખ રજનીભાઇ ટેલરના મહાવીર નગર સ્થિત નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કરી  પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓની શોભા યાત્રા શનિવાર ની સાંજે નીકળી હતી. અ શોભાયાત્રામાં ફરસરામી દરજી સમાજના  ટ્રસ્ટીઓ, અગ્રણીઓ સહિત પરિવારજનો શ્રદ્ધાભેર જોડાયા હતા.આ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવ થઈ નીલકંઠ મહાદેવ પહોંચી હતી જ્યાં આરતી સાથે સમાપન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!