The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News તિલકવાડાની મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે બન્યા મજબૂર !

તિલકવાડાની મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે બન્યા મજબૂર !

0
તિલકવાડાની મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે બન્યા મજબૂર !

તિલકવાડા ઓળબિયા ગામ ‌પંચાયત ના ચંદપુરા ગામે ‌આઝાદી નાં ૭૦ વર્ષ પછી પણ પીવાનું પાણી મળતું નથી. ગ્રામજનો મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા, પાણી નાં અભાવે ગામ ની ૭૦ વર્ષ નાં દાદી ની દયનીય સ્થિતિ ઉભી થઈ છે. જંગલી જાનવર નાં હુમલા થતાં હોય અને ગામ માં બાલવાડી નહીં હોવાથી ગામ નું એક પણ બાળક બાલવાડી જતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં સરકારી આવાસ યોજના મંજૂર થતાં નથી.

ડો પ્રફુલ વસાવા દ્વારા છેવાડાના ગામો માટે ચાલતાં યુવા સંવાદ અભિયાન માં ગામ લોકો એ પોતાના ગામ ની સમસ્યા ઓ માટે રજુઆત કરી હતી જેનાં ભાગરૂપે આજે તિલકવાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર સંબોધી આવેદનપત્ર આપી , જલ્દી સમસ્યા નાં ઉકેલ માટે ચિમકી આપી છે.

આજે  ડો પ્રફુલ વસાવા ની આગેવાની માં તિલકવાડા માં રેલી કરી, ભાજપ સરકાર પાણી આપો, શિક્ષણ આપો,આવાસ આપો નાં સુત્રો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ‌ચિમકી આપી કે જો ‌ચંદપુરા ગામ ‌લોકોને તત્કાલ પીવાં નું પાણી નહીં આપવામાં આવે તો મામલતદાર કચેરી પર ભૂખ હડતાળ, આંદોલન શરૂ કરીશું.

આવેદનપત્ર આદિવાસી ટાઈગર સેના અને સમસ્ત આદિવાસી સમાજ દ્રારા આપવામાં આવ્યું છે જેમાં ડો પ્રફુલ વસાવા ની સાથે કૌશિકભાઈ તડવી, કમલેશ ભાઈ ભીલ, ચંદપુરા નાં ગામજનો , ઓળબિયા ગામ ‌પંચાયત ના સરપંચ ભરતભાઈ વસાવા હાજર ‌રહ્યા હતા.

* સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!