The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

નેત્રંગના કંબોડિયા ગામે ટ્રક અકસ્માત, ડ્રાઇવરને કેબિનને કાપી કરાયો રેશક્યુ

નેત્રંગથી ઝંખવવા રોડ ઉપર દાદરાનગર હવેલી તરફથી બોડેલી રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો હતો.જેમાં સ્થાનિક રહીશોની મદદથી ટ્રકના કેબિનનું પતરૂ કાપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને રેસક્યું ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો.૧૦૮ એમબ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યો હતો.પરંતુ વધુ સારવારની જરૂર અથઁ ભરૂચ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતથી ઘટનાની જાણ રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.ભારે ટ્રાફિમજામ થતાં અન્ય રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગ ચારરસ્તા ઉપરથી બોડેલીની ઓરસંગ નદીની રેતી ભરેલા હાઇવા-ડમ્પર નેત્રંગથી સુરત,તાપી,વલસાડ અને વાપી તરફ જાય છે.હાઇવા-ડમ્પર ટ્રકો ખાલી-ઓવરલોડ ભરેલા હોઇ છે.નેત્રંગ ચારરસ્તા ઉપર ભારે ટ્રાફિસ સમસ્યા અને પોલીસ કમીઁઓની હાજરી હોવા છતાં ઉશ્કેરાયેલા સાંઢની માફક બેરોકટોક-ગફલતભરી રીતે પસાર થતાં હોવાથો સ્થાનિક રહીશો ભયનો માહોલ જોવા મળે છે.ઓવરલોડ ખનિજો ભરીને દોડતા વાહનોના નંબરોથી લઇ સાઇડ લાઇટ અને અનેક જાતના આરટીઓના નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો લોકોને જોવા મળે છે. પરંતુ જવાબદાર તંત્રને જોવા મળતા નથી.નેત્રંગ ચારરસ્તા ઉપર ગોજારો અકસ્માત બને તે પહેલા તંત્ર કડક હાથે કામગીરી કરે તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યું છે.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!