કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોએ ને નિયમિતતા પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરાયો હતો અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે.

રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદિદિ એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોનો દુકાળ છે ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે કાર્યક્રમના અંતે રાજયોગ મેડીટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત તમામ કર્મચારીઓને જીવનને આધ્યાત્મિકતાથી સંપૂર્ણ બનાવવા માટે સાત દિવસનો રાજયોગ કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભરૂચ ડીવાયએસપી સી.કે પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તાલીમાર્થીઓને બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમીનાથભાઈએ આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કમલભાઈ જયશ્રીબેન તથા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

