The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

0
કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતનમાં લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.કેનેડાના બ્રેમ્પટનમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.


ત્યારે આ અંગે પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને જાણ કરતા તેઓએ યુવાનના મૃતદેહને વતન લાવવા માટે ભરૂચ કલેકટરને રજુઆત કરી હતી ત્યારબાદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા 14 દિવસ બાદ યુવાનનું મૃતદહને પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનો યુવાનનો મૃતદેહ વતન લાવ્યા હતા જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.યુવાનની અંતિમયાત્રામાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના આગેવાનો તેમજ આમોદના નગરજનો જોડાયા હતા. પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વ્હાલસોયાને વિદાય આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!