
ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ સાથે મેદાને પડી છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
આ આવેદનપત્રમાં મુખ્ય ઝઘડિયા તાલુકાના જૂના તોઠીદરા ગામમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીઝધારકો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ માટે ગામના ગૌચરની જ્મીન માંથી રસ્તો બનાવી તેના ઉપર ઓવરલોડ વાહનોની અવરજવર સતત ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ઉપરાંત અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.તો તે બાબતે યોગ્ય કરવા અને ગેરકાયદે દબાણ-રેતી વહન રોકવા 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું સાથે જો તેમ નહીં થાય આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે જઇ ને રસ્તાઓ જાતે ખોદી નાંખશેની ચીમકી પણ આપવામાં આવીછે.