The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભરૂચના નાંદ ગામનો ભાતીગળ મેળો

૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભરૂચના નાંદ ગામનો ભાતીગળ મેળો

0
૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભરૂચના નાંદ ગામનો ભાતીગળ મેળો

ભરૂચ તાલુકાનાં પૌરાણિક નાંદ ગામ ખાતે દર ૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભાતીગળ મેળાનું ધાર્મિક દ્રષ્ટીએ ધણું જ મહાત્મય રહેલું છે. નર્મદા નદીમાં સ્નાનનો અનોખો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોય છે.

નર્મદા પુરાણ અનુસાર નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. નાંદ ગામ સાથે નંદરાજાના સાતમા સંતાન નંદ પુત્રી હોવાથી આ સ્થળ પ્રચલિત છે.નંદાદેવીએ કંસ રાજાના હાથમાંથી છુટી કંસ વધની આગાહી કરી હતી અને મહીસાસુર જેવા અનેક દૈત્યો સહિત દુષ્ટ આત્માઓનો વધ કર્યો હતો જેથી લાગેલા યાત્રકના નિવારણ અર્થે પવિત્ર નર્મદા કિનારે તેત્રીસ કરોડ દેવતાએ સ્નાન તપ કર્યું હતું. તેથી આ સ્થળેને નંદા હદ એટલે કે નંદા સરોવર કહેવામા આવે છે.આ સ્થળેનંદાદેવી મંદિરે દર્શના કરી લોકો ધન્ય બને છે.

આ પવિત્ર સ્થળે શ્રાવણ વદ અમાસથી એક માસ સુધી સ્નાન કરવાનો અનોખો મહિમા છે.ભારતના યાત્રાધામો પૈકી નંદાહદ નંદા સરોવર નાંદ ચોથા નંબરનુ યાત્રાધામ હોવાનું પણ માનવમાં આવે છે.આ યાત્રામાં ભારતભરમાંથી લોકો આવી સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

રવિવારના રોજ નાંદ ગામ ખાતે રવિવારની રજાના દિવસે ભરુચ જિલ્લા સહિત અનેક સ્થળોએથી ભાવિક ભક્તો નાંદ ખાતે આવી પહોંચ્યા હતા અને દર્શન સાથે સ્નાનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!