The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આમોદ પુરસા રોડ ઉપર ફરી પાણી ફરી વળતા આમોદ સાથે સંપર્ક તૂટ્યો

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઢાઢર નદીમાં નવા નીર આવતા જ આમોદ પુરસા રોડ ઉપર કમર સમા પાણી ભરાવા સાથે પુરસા કાકડીયા અને ખોડીયાર નગરના ગ્રામજનોનો આમોદ સાથે સંપર્ક તુટી જવા પામ્યો છે.

વરસાદ ની ઋતુમાં દર વર્ષે દરિયાઈ ખાડી પુરાઈ જવાના પગલે વરસાદી પાણીનો નિકાલ ન થતા ગામમાં પાણી ઘુસવાની સમસ્યા નો આ ત્રણ ગામ સામનો કરતું આવ્યું છે. ગામોમાં પાણી ફરી વળવાના કારણે ગ્રામજનોનીઆવના જાવન સહિત એકા ગામા થી બીજા ગામના સંપર્ક માં પણ મુસ્કેલીઓ સર્જાઇ રહી છે. વળી ચારેકોર પાણી જ પાણી થઈ જતા ના તો ટ્રેકટર સિવાય કોઇ વાહન નીકળી નથી શકતું જેના પગલે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. પૂરસા રોડ ઉપર આવેલી આઇ.ટી.આઇ શિત સર્વત્ર જગ્યા પાણી પાણી થઈ જતા જના જીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું છે. વર્ષો જૂની આસમસ્યા નો હાલ ક્યારે આવશે એ વાતને લઈને ગ્રામજનોમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જોકે થોડા દિવસ પેહલા જ આ વિસ્તારમા પાણી ફરી વરતા ધારાસભ્યએ મછાસરા ગામે આવેલ ઝીંગા તળાવની મુલાકાત લીધી હતી.પણ જો જીંગા તળાવોના માલિકોએ જ આ દરિયાઇ ખાડી ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હશે તો ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક લોક ચર્ચા ઉઠવા પામી છે.હાલમાં તો પાણીના પગલે પુરસા કાકડીયા અને ખોડીયાર નગરના ગ્રામજનોનો આમોદ સાથે સંપર્ક તુટી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!