The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અવિરત 18 વર્ષ થી કાવડિયાઓ અંકલેશ્વર ના મહેમાન

અવિરત 18 વર્ષ થી કાવડિયાઓ અંકલેશ્વર ના મહેમાન

0
અવિરત 18 વર્ષ થી કાવડિયાઓ અંકલેશ્વર ના મહેમાન

પવિત્ર શ્રાવણ માસ માં હવે પ્રતિ સોમવાર જલાભિષેક કરવા માટે ભોળા ના ભક્તો પ્રતિ વર્ષ કાવડ લઇ કાવડ યાત્રા કરી રહ્યા છે. ત્યારે સુરત ના ડુંગરાગામ થી છેલ્લા 18 વર્ષ થી 100 થી વધુ કવાડીયા નો સંઘ અચૂક નર્મદા મૈયા ના નીર લેવા આવતા હોય છે 100 કિલોમીટર ઉપરાંત પગપાળા સંઘ લઇ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ની બાજુમાં આવેલ નર્મદા નદી કિનારે આવી રહ્યા હતા.

મા નર્મદા નું પવિત્ર જળ લઈ મોટી સંખ્યામાં કાવડ યાત્રિકો કામરેજ ખાતે સોમવાર ના રોજ ભીમનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરશે. ત્યારે છેલ્લા અવિરત 18 વર્ષ થી શ્રાવણ માસ નિમિતે કાવડિયાઓ અંકલેશ્વર ના મહેમાન બનતા હોય છે. ચાલુ વર્ષે શ્રાવણ અધિક માસ હોય જેને લઇ પ્રતિ શનિ અને રવિવાર ના રોજ સુરત તેમજ તેના આજુબાજુ ના વિસ્તાર ના કાવડિયાઓ માં નર્મદા ના જળ લેવા માટે ઉમટી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!