
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નહેરૂ યુવા કેંદ્ર (યુવા અને ખેલ મંત્રાલય ભારત સરકાર)ભરૂચનાં સંકલનથી વિશ્વ એઈડસ ડે સાથે આંતરરાસ્ટ્રીય વોલન્ટીયર્સ દિવસની ઉજવણી કરવામાં આવી. નહેરૂ યુવા કેંદ્રનાં પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર દિવ્યજીતસિંહ ઝાલાએ હાજર તાલીમાર્થી ભાઈ બહેનોને એઈડસ સંબંધિત માહિતી પ્રદાન કરી ખાસ કરીને આ રોગ સ્થળાંતરીત માનવ સમુદાય દ્વારા વધુ પ્રમાણમાં ફેલાય છે.
તેના માટે આપણે જાગૃત યુવાધને શું કાળજી રાખવી તેના ઉપર પ્રકાશ પાડયો હતો રોગ આવતાં પહેલા તેને કેમ અટકાવી શકાય તેના માટે શું શું કાળજી રાખવી તેની ઉંડાણ પૂર્વક સમજ આપી હતી. આવા રોગો આપણી પોતાની બેદરકારીનાં કારણે વધુ પ્રમાણમાં વિસ્તરે છે જેથી આપણે સૌએ સજાગતા કેળવણી પડશે રોગ વિષે આજુબાજુ આપણા દરેક સમાજનાં લોકોને માહિતગાર કરી જાગૃત કરવા પડશે તોજ તેના ઉપર નિયંત્રણ લાવી શકીશું અને સુખી સંપન્ન જીવન વિતાવી શકીશું.
આ કાર્યક્રમ સાથે આંતરરાસ્ટ્રીય વોલન્ટીયર્સ દિવસની ઉજવણી અંતર્ગત જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં એન.એસ.એસ જનરલ લીડર યશ ઉપાદયાયે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, યુવાનોને રાષ્ટ્ર માટે વિવિધ સેવાઓ અને શ્રમદાન માટે આવા કાર્યક્રમો યોજાય છે એનો ઉદેશ્ય આપણે એક સ્વંયસેવક બની કુટુંબ, ફળિયા, ગામ, નગર કે દેશ રાષ્ટ્ર માટે કોઈક્ને કોઈ કામ સમાજ માટે કરતા રહીએ. આ સ્કીલ બેઈઝ સંસ્થાન છે આપણે પણ કોઈ કામમાં કૌશલ્ય કેળવી સમાજને ઉપયોગી થઈએ તે રાષ્ટ્ર માટે મહત્વનું છે. દેશ માટે પોતપોતાનું કૌશલ્ય પ્રદાન કરી એક સ્વયં સેવક સમાજમાં ઉભરી આવે. તેવા પ્રયત્નો આપણે કરીએ.
જે.એસ.એસના નિયામક ઝયનુલ સૈયદે આપણે સ્ત્રી હોય કે પુરૂષ એક સ્વયં સેવી બનીને સમાજની સેવા કરવી દરેક ક્ષેત્રે આપણી ફરજ બની જાય છે ગમે તે ક્ષેત્રે એક વોલીન્ટીયર્સ તરીકે પોતાની જાતને જોતરી શકોછો અને શ્રમદાન થકી યોગદાન આપી શકો છો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.એસ.એસનાં ફિલ્ડ કો.ઓર્ડિનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન કથોલીયાએ કર્યુ હતુ.અંતે આ તકે હાજર સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.