The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

બિસ્માર રોડને લઈ ઝઘડિયાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા કરાયો ચક્કાજામ

ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક સ્ટેટ હાઇવે પર ખરચી ગામના લોકોએ બિસ્માર માર્ગ પરથી ઊડતી ધૂળના કારણે અનેક બીમારીઓ થાય છે. વાહનોની નુકસાન થાય છે, તેમજ અકસ્માતો પણ વધ્યા છે. જેથી ખરચી ગ્રામજનોએ રોડ પર ટ્રેક્ટર, પથ્થરો તેમજ બાઇકો મૂકી ચક્કાજામ કર્યો હતો. સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ બનાવની જાણ ઝઘડિયા પોલીસને થતા પીઆઈ વામન ભરવાડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અંગે ગ્રામજનો દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારી, મામતદાર અને PWD અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સમજાવવામાં આવતા આ રસ્તો ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો. સાથે જ આ સમસ્યાનું સમાધાન જલ્દીથી નહીં આવે અને ખરાબ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ફરીથી આ રસ્તો બંધ કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!