
૧૫૩-ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપમાંથી ઉમેદવારી કરનાર રમેશભાઇ મિસ્ત્રીએ આજે સિદ્ધનાથ નગર ખાતે અંબિકાધામમાં માતાજીને વંદન કરી ચુંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો.
ભરૂચના સિદ્ધનાથનગર અંબિકાધામમાં ઉમેદવાર રમેશભાઇ મિસ્ત્રીએ માતાજીના આશીર્વાદ લીધા બાદ સોસાયટીમાં રેલી સાથે ઘેર-ઘેર ફર્યા હતા જ્યાં લોકોએ સ્વયં તેમને ફૂલહાર કરી મોઢુ મીઠ્ઠું કરાવી વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા.
તા. ૧-૧૨-૨૦૨૨, ગુરૂવારે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૩ ભરૂચ વિધાનસભા મતવિસ્તાર માટે ઉમેદવાર તરીકે રમેશભાઇ મિસ્ત્રીની પસંદગી થઈ છે. તેઓ પાણી, રોડ-રસ્તા, સ્વચ્છતા, માળખાકીય સુવિધા, શિક્ષણ, આરોગ્ય, સલામતી જેવા વિષયોને પ્રાધાન્ય આપી પ્રજાહિતમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. ફરીથી તેમને સેવા કરવાની તક આપી ભરૂચના વિકાસમાં “ભરોસાની ભાજપ સરકાર ‘ના સુત્રને સાર્થક કરવાની તક આપશોની અપીલ સાથે રમેશ મિસ્ત્રીને જંગી બહુમતીથી જીતાડવા હાર્દિક અપીલ પણ તેમણે કરી હતી.
આ પ્રસંગે યોજાયેલ વિશાળ રેલીમાં ઉમેદવાર સાથે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,દિવ્યેશ પટેલ,નિરલભાઇ પટેલ,નિશાંત મોદી,દિપક મિસ્ત્રી,ઘર્મેશ મિસ્ત્રી,પાલિકા પ્રમુખ અમીત ચાવડા,હેમેન્દ્ર પ્રજાપતિ સહિત કોર્પોરેટરો હોદ્દેદારો અને સ્વયંમ સિદ્ધનાથ નગરના મોભી અને રહિશો ઉપસ્થીત રહ્યા હતા.