ભરૂચ જિલ્લા વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જાહેર

0
85

ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉમેદવાર જાહેર કરતા જ જિલ્લા સંગઠનમાં ખુશીની લહેર સાથે ઉમેદવારોને વધાવી લેવાયા હતા.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલનની પાંચમી ટર્મ માટે પણ પસંદગી ઉતારાઈ છે. વાગરા વિધાનસભા બેઠક માટે ત્રીજી વખત અરૂણસિંહ રણાને ટિકિટ અપાઈ છે. જ્યારે ભરૂચ બેઠક ઉપર વર્ષ 2002 થી 2007 માં ધારાસભ્ય રહેલા અને 11006 મતો થી વિજેતા બનેલા રમેશભાઈ મિસ્ત્રીને ટિકિટ અપાઈ છે.

જંબુસર બેઠક ઉપર ભાજપે સંત અને નાહીયેર ગુરુકુળના સંચાલક ડી.કે.સ્વામીને ઉમદેવાર જાહેર કર્યા છે. તો આદિવાસી ઝઘડિયા બેઠક માટે તાલુકા પંચાયતના અધ્યક્ષ રિતેશ વસાવાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થતા જ આગેવાનો અને કાર્યકરોમાં ખુશી વચ્ચે તેઓન3 વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરૂચ વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીનું જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડી ઉષ્માભેર અભિવાદન કરાયું હતું. આગેવાનો અને કાર્યકરોએ તેમને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ભરૂચ ભાજપના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું કે, ભાજપનો દરેક ઉમેદવાર કાર્યકર્તા જ છે. અને પ્રજા સહિત સંગઠનના સાથ સહકારથી વિજયી થઈ વિકાસને વેગ આપવા કટિબદ્ધ છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના કસક ખાતે રમેશભાઇ સહિત અન્ય અન્ય ઉમેદવારોના ટિકિટના વધામણાંમાં જોડાઈ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here