
ભરૂચ જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મચારી મિત્રો દ્વારા તાજેતરમાં મોરબી ની હ્રદયદ્રાવક ઘટનાં તથા જિલ્લા પંચાયત પરિવાર નાં મિત્રો નાં અવસાન થયેલ હોય તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
આજે જિલ્લા પંચાયત ખાતે સારી એવી સંખ્યામાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ ઘણાં લાંબા સમય બાદ ભેગા થયા હતા તથા સૌ વધારે ઉંમરના અન્વયે પંચાયત પરિવાર નાં મિત્રો કોરોના સંક્રમણ માં અચાનક દિવંગત થતાં તથા રાજ્ય ની ગોઝારી ઘટના અંગે એકત્ર થઈ મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તથા આવનાર સમયમાં સૌ ભેગા મળીને એકબીજા ને મદદરૂપ થવાની સંકલ્પના દોહરાવી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત કર્મચારી મહામંડળ ના પૂર્વ પ્રમુખ બહેચરભાઈ રાઠોડ, મહામંત્રી વિક્રમસિંહ રાજ, અબ્દુલભાઈ ચૌહાણ, દેવુભા.કાઠી, રક્ષાબેન ફિટર, નટુભાઈ કાયસ્થ, ભરતભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વાળંદ, બી એસ ઝરીયા, અજીતસિંહ અટોડદરીયા,નૂરમહમંદભાઈ પટેલ, તથા જીલ્લા પંચાયત કર્મચારી મહામંડળ ના હાલ નાં પ્રમુખ અશ્વિનભાઈ મકવાણા તથા મહામંત્રી મેલસિંગભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.