The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

શુકલતીર્થ ગામે મેળાની મનોરંજન પ્લોટની તેમજ પાર્કિંગની હરાજીમાં ગોબાચારીની બુમરાણ

શુકલતીર્થ ગામે મેળાનું પૂર્વ તૈયારી ચાલી રહી છે. તેના ભાગરૂપે ગ્રામ પંચાયત સરપંચ ની અંગત દેખરેખ હેઠળ  સુચારુ અને વ્યવસ્થિત આયોજન થાય તે માટેના પ્રબંધ કરવામાં આવી રહ્યો છે ત્યારે શુક્લતીર્થ પંથક અને તેની આસપાસના ગામોમાં જે સ્ટોલ માટે કામચલાઉ પ્લોટ ફાળવણી કરવામાં આવી છે.

તેમાં ગામના કેટલાક લોકો દ્વારા પોતાના તેમજ પોતાના સગા સંબંધીઓના નામે લાગતા વળગતા મિત્રોના નામે એકથી વધુ પ્લોટ મેળવીને અન્ય લોકોને વધુ પૈસા લઈ વેચાણ કરવાની દુષ્પ્રવૃતિ ચાલી રહી હોવાની લોક ચર્ચાઓ વેગવંતી બની છે.ત્યારે આવા પ્લોટ બ્લેક માં વેચી કમાણી કરનારા પરિબળોને નિયંત્રિત કરવા માટે પણ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણાયક ભૂમિકા ભજવી છે. પરંતુ તેમાં કેટલી સફળતા મળે છે તે જોવું રહે.

આમ છતાં તીર્થધામ ને કલંકિત કરનારી આવી સાજીસ રચનારાઓ માટે ગ્રામ પંચાયત તેમજ તેની ઉપલી કચેરી પણ ખાસ જે લોકો ખરેખર જે હેતુ માટે દુકાન સ્ટોલ કરવાના છે તેના માટે પ્લોટની ફાળવણી થઈ છે તેઓ પોતે જ દુકાન કરે છે કે કેમ…?? તેની પણ પ્રશાસન દ્વારા મેળા દરમિયાન ચકાસણી થવી ખૂબ જરૂરી છે.

સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગામમાં જે તે પરિવારોને ત્યાં મેળા દરમિયાન મહેમાનો સગા સબંધીઓ  મિત્રો પધારે છે. તેનો  વિવિધ ખર્ચ કેટલાક સ્થાપિત હિતો વર્ષોથી આ પ્લોટ બે નંબરી કમાણીમાંથી કરી રહ્યા છે…!! આવા પ્લોટ કામચલાઉ હોવા છતાં તેનું નવેસરથી જ પારદર્શી રીતે આવી કોઈ ગેરકાયદેસર કમાણી કરવાનો અવકાશ ન રહે તેવું આયોજન થાય તે ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!