છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચ નર્મદા ચોકડી ખાતે પટેલની વાડી એ ભરૂચવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઝાડેશ્વર ગામના આગેવાન નરેશભાઈ પટેલ દ્વારા હલદરવા ચોકડી, ઓસારા રોડ ખાતે “પટેલની વાડી” ના નામથી જ નવી હોટેલ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના વરદ હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે ના વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટીના માજી પ્રદેશ ઉપાધ્યક્ષ જીવરાજભાઈ ધારૂકાવાલા, અંક્લેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નીરલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આમંત્રિતો એ હાજરી આપી હતી.