• ગુજરાત સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત રાજ્ય ની વિધાનસભાની ચુંટણીઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા ઓ વર્તાઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણ માં ભારે ગરમાવો આવી ગયો છે.

આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છ છબી ધરવતા અને સામાજિક માન મોભા વાળા રાજકિય આગેવાનો ને પોતાનાં તરકે આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના કુંવરપરા ગામ ના સરપંચ અને ગુજરાત સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ગત રોજ આમ આદમી પાર્ટીમાં જોડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ભારતિય જનતા પાર્ટી ના પ્રખર કાર્યકર હતા. દરેક પંચાયતો ના સરપંચ સાથે તેઓનો સિધોજ ઘરોબો હોય, તેમજ રાજપીપળા સહીત નર્મદા જીલ્લા મા કોઇ પણ સમસ્યા હોય તેના નિરાકરણ અને હલ માટે હંમેશા તત્પરતા દાખવતા હોય ભાજપા સાથે છેડો ફાડ્યા બાદ આમ આદમી પાર્ટી ની ઝાડુ નો દામન થામતા ભાજપા ને ચોક્કસ પણે વિધાનસભા ની ચુંટણીમાં મોટાં પાયે નુકસાન નર્મદા જીલ્લા થાય તો નવાઇ નહીં.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં જોડતા રાજપીપળા વિધાનસભા ના ઉમેદવાર તરીકે તેઓને રાજકીય પંડિતો જોઈ રહયા છે. આગામી દિવસોમાં નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે તેઓને આમ આદમી પાર્ટી પોતાનાં ઉમેદવાર બનાવે તો નવાઈ નહીં.

  • રિપોર્ટર:સર્જન વસાવા,ન્યુઝલાઇન,નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here