
અંકલેશ્વરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલનમાં સમાજના લોકોને રાજકારણમાં ઝંપલાવવા આહવાન કરવામાં આવ્યુ હતું. સમાજ નું પ્રતિનિધત્વ રાજકારણ માં વધારવા યુવાનો ને આગળ આવવું પડશે તેમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત એ સંબોધન માં અપીલ કરી હતી. તો પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી.વણઝારા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરના ગોકુલ ફાર્મમાં ક્ષત્રિય સમાજ ની એકતાનું ગુજરાત સહિત ભરૂચ જિલ્લાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, કરણી સેનાના રાજ શેખાવત જણાવ્યુંહતું કે, દરેક ક્ષેત્રમા વ્યવસાયિક, શૈક્ષણિક અને રોજગારલક્ષી અને સમાજને પ્રતિનિધિત્વ અપાવવું એ અમારું દાયિત્વ છે, આવનારા દિવસોમાં જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં ત્યાં સરપંચ થી લઈને સંસદ સુધી પ્રતિનિધિત્વ જોઈશે.
આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી સમાજનું પ્રભુત્વ વાળા વિધાનસભાઓમાં સમાજને ઉમેદવારી આપે એમની સાથે સમાજ જોડાશે અને ઉમેદવારોને વિજયી બનાવો.ટિકિટ નઈ મડે તો પણ સમાજના ઉમેદવાર અપક્ષ ઉમેદવારી અપાવી વિજયી બનાવીશું.
સમાજને અધિકાર અપાવીશું. ભારત દેશના નિર્માણ માટે અને અખંડ ભારતની સ્થાપના માટે અમે 567 રજવાડા સમર્પિત કાર્ય અને આજે સમાજને હાંશિયા ઉપર ધકેલી દેવામાં આવ્યું છે, હવે અમારી એકતા જ અમને રજવાડા પાછા અપાવી શકે છે.