The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News માટી બચાવોના સંદેશ સાથે નીકળેલી સાયકલ યાત્રા ભરૂચ પહોંચતા કરાયું સ્વાગત

માટી બચાવોના સંદેશ સાથે નીકળેલી સાયકલ યાત્રા ભરૂચ પહોંચતા કરાયું સ્વાગત

0
માટી બચાવોના સંદેશ સાથે નીકળેલી સાયકલ યાત્રા ભરૂચ પહોંચતા કરાયું સ્વાગત

દિલ્હીથી માટી બચાવોના સંદેશ સાથે નીકળેલી સાઇકલ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચી હતી. જ્યાં સાઇકલિસ્ટ ગ્રુપ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું.

તારીખ-21મી માર્ચના રોજ ઝારખંડના રહેવાસી સમ્રાટ સીંગે દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસેથી ઈશા ફાઉન્ડેશનના સંસ્થાક સદગુરૂ હેઠળ માટી બચાવો અભિયાન શરૂ કર્યું છે. તેઓએ દક્ષિણ ભારત સુધી 7 હજાર કિ.મી સાઇકલ યાત્રા ખેડી વિવિધ શહેરોમાં અને ગામોમાં લોકોને માટી બચાવવા માટે જાગૃતિ ફેલાવશે.

આ યાત્રાને લઈ આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચતા સાઇકલિસ્ટ ગ્રુપ દ્વારા સભ્ય શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે સાઇકલ યાત્રીનું સ્વાગત કર્યુ હતું. સાઈકલ યાત્રી ભરૂચ ખાતે જમીને સુરત ખાતે જવા રવાના થયો હતો. જ્યાંથી તે દક્ષિણ ભારત તરફ સાયકલ યાત્રા આગળ ધપાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!