
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી સેંગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાળ ઉપર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર લઇ ફરે છે.
બાતમી આધારે તપાસ કરતા નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુતના નામના ઈસમ પાસેથી બીનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ અગ્નિશસ્ત્ર મળી આવ્યું હતું.જેથી પોલીસે નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત, ઉ.વ.૪૫, રહે.હાલ. મીરાં નગર દુર્ગામાતાના મંદિર પાસે ઝુપડપટ્ટી અંકલેશ્વરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં તો હથિયાર સાથે ઝડપાયેલ ઈસમ હથિયાર ક્યાંથી લાવ્યો હતો એ સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.