ભરૂચના ઝાડેશ્વર રોડ પર હવામાં ધૂળની રજકણો ઉડતી હોઇ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને પવનના પગલે આકરી ગરમી બાદ લોકોએ થોડો હાશકારો જરૂર અનુભવ્યો છે.
પરંતુ પવનના પગલે જાહેર માર્ગો પરા ઉડતી ધૂળના કારણે લોકો તેમજ વાહનચાલકો પરેશાન થઈ ગયા છે.અમુક વખતે એટલી બધી ધૂળ ઉડે છે કે વાહન ચાલકોને સામે કઈ જ દેખાતું નથી જેથી અકસ્માત થવાની શકયતા પણ વઘવા પામી છે.વળી ઝાડેશ્વર રોડ નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં ધૂળના રજકણો ઉડતાં ઘરની ઓસરી કે ઘરમાં પણ ધૂળ ભરાઇ જતાં ગૃહિણીઓ પણ ત્રસ્ત બની છે.