શિક્ષણની આવતી કાલ અને આવતી કાલનું શિક્ષણ આ મધ્યવર્તી વિચાર સાથે પી.પી.સવાણી યુનિવર્સીટી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાની શાળાના આચાર્યો માટે કાર્યક્રમનું આયોજન તારીખ ૨નવેમ્બર ૨૦૨૩, ગુરૂવારનારોજ હયાત હોટલ ભરૂચમાં થયું હતું.

DEO કે.એફ.વસાવા ભરૂચ અને પી પી સવાણી યુનિવર્સીટીના ડિરેક્ટર સ્નેહ સવાણી તથા કુલપતિ ડો.પરાગ સંઘાણીના માર્ગદર્શન હેઠળ નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં આવી રહેલા પરિવર્તનો અને વધુ કાર્યદક્ષતા હાંસલકરવા માટે ડો.પરેશભટ્ટ અને ડો.છાયાબહેન પારેખ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે આવનારા સમયના પડકારો અને તકો વિષે પીપી સવાણી યુનિવર્સીટીના કુલપતિડો.પરાગ સંઘાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

યુનિવર્સીટીના ડેપ્યુટી રજીસ્ટર ડો. બિંદેશ પટેલે આ સંદર્ભમાં યુનિવર્સીટીના કાર્યનો ચિતાર રજુ કર્યો હતો. ઉપસ્થિત આચાર્યો દ્વારા કાર્યક્રમના અંતે વધુ સારી કાર્યપ્રણાલી સાથે વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કટિબધ્ધથવાની અભિવ્યક્તિ દર્શિત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here