ભરૂચ નવાદહેરા સ્થીત દત્તમંદિરે દત્તોપાસક પરિવાર દ્વારા આજે રંગ અવધુત બાપજીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી.
રંગજયંતિ નિમિત્તે દત્તોપાસક પરિવાર નવાદહેરા દ્વારા પ્રભાતફેરી, મંગળા આરતી, સંગીતમય પાદુકા પૂજન, ધૂન સાથે ભવ્ય શોભાયાત્રા તેમજ મહાપ્રસાદી યોજવામાં આવી હતી.
જેનો દત્તોપાસક પરિવાર નવાદહેરાના પરિવારજ્નો અને મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી દર્શનાર્થીઓએ અવધુતમય બની ધન્યતા અનુભવી હતી.